
સાંતલપુર
પી.એસ.આઇ. એચ.વી.ચૌધરી સાહેબ તથા સ્ટાફ દ્વારા અકસ્માત ના બનાવો બાબતે જાગૃતિ તથા
અકસ્માત નિવારવા ના પ્રત્યનો ના ભાગરૂપે રસ્તા પર રખડતી ગાયો ના શિંગડા પર રેડિયમ રિફલેક્તર પટ્ટીઓ લગાવવામાં આવી તેમજ રિક્ષા, છકડા, ટેમ્પો, ગાડીઓ,
બાઇક તેમજ મોટા ટ્રેલર વાહનો માં રેડિયમ પટ્ટીઓ અને સ્ટીકર લગાવવા માં આવ્યા જેથી અંધારા માં દૂર થી વાહન જોઈ શકાય અને પાછળ થી આવતા
વાહનો ના અકસ્માતો ન થાય તેમજ ડ્રાઇવરો ને હાઈ બીમ લાઈટ ન વાપરવા માટે સમજણ આપવા માં આવી, હાઈ બીમ ના કારણે સામે થી આવતા વાહન ના ડ્રાઈવર ને જોવા માં તકલીફ પડે છે અને અકસ્માતો બનતા હોય છે